એક ખેડૂત હંમેશા એક કિલો માખણ બેકરીમેનને વેચતો હતો. તે ખેડૂત હંમેશા સવારે તે બેકરીમાં આવતો અને તેને એક કિલો માખણ આપતો. એકવાર બેકરે વિચાર્યું કે તે હંમેશા એના પર વિશ્વાસ કરી ને માખણ લે છે. કેમના હું આજે પોતે આ માખણ તોલીને જોવું ?
આનાથી તે જાણી શકે છે કે તેને સંપૂર્ણ માખણ મળી રહ્યું છે કે નહીં?
જ્યારે બેકરેએ માખણનું વજન કર્યું, ત્યારે માખણનું વજન થોડું ઓછું નીકળ્યું. બેકરે ગુસ્સે થઈ અને ખેડૂત સામે કેસ દાખલ કર્યો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ખેડૂતને જજ સમક્ષ રજૂ કરાયો હતો.
જજ એ તે ખેડૂતને પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું . જજ એ પૂછ્યું કે તે માખણનું વજન કરવા માટે ક્યાં વજન કાંટા નો ઉપયોગ કરે છે?
ખેડૂતે જવાબ આપ્યો, “મારી પાસે વજન કરવા માટે વજન કાટો નથી. તેમ છતાં હું માખણ તોલું છું.
જજે આશ્ચર્યમાં પૂછે છે “તમે વજન કાંટા વગર માખણનું વજન કેવી રીતે કરો છો?
આ અંગે ખેડૂતે જવાબ આપ્યો કે “તે લાંબા સમયથી આ બેકરીમાંથી એક કિલો બ્રેડ નો લોટ ખરીદી રહ્યો છે. આ બેકરીવાળો હંમેશા તેને આપે છે અને હું તેનું વજન કરીને તેને સમાન વજનનું માખણ આપું છું. ”
ખેડૂતનો આ જવાબ સાંભળીને બેકરીમેન હેરાન થાય ગયો .
બોદ્ધ પાઠ : આ અંગે બેકરીવાળા ની જેમ, આપણે આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે મેળવીએ છીએ. એકવાર તમે વિચારો કે તમે બીજાને શું આપી રહ્યા છો, કપટ, દુ:ખ, પ્રામાણિકતા, ઈર્ષા, જૂઠું કે વફાદારી.

No comments:
Post a Comment