ગેરસમજરૂપી પથરો મીઠા સંબંધરૂપી શાંત પાણીમાં પડતાં મનમાં વમળરૂપી તોફાની વિચારોની શરૂઆત થાય છે અને માનવીય સંબંધરૂપી કાચની જેમ ચૂરચૂર થયા વિના રહેતો નથી . ગેરસમજ થતા નજદીકના માણસો કયાં ના ક્યા દૂર થઈ જતા વાર લાગતી નથી.
મિત્રોમાં ગેરસમજ ઉભી થતા જો ગેરસમજ દૂર ન થાય તો મિત્રો એક બીજનાં શત્રુ બની જાય છે . દંપતિમાં ગેરસમજ ઉભી થતા, જો સમજાવટથી ઉકેલ ન આવે તો પતિ પત્નીનાં સંબંધમાં તિરાડ પડે છે. પરિવારમાં ગેરસમજ ઉભી થતાં સભ્યોમાં સંબંધ બગડતા વાર લાગતી નથી. ભાગીદારોમાં વિશ્વાસરૂપી સ્થંભ તૂટતા અને ગેરસમજ થતાં ને તેનું નિવારણ ન કરાતાં ભાગીદારીનો અંત આવવામાં વાર લાગતી નથી. વ્યવસાય કે કારખાનાનાં માલિક - મજૂરોમાં, શેઠ તથા ગુમાસ્તામાં ગેરસમજ ઉભી થતા અને જેનો ઉકેલ ન આવતા હડતાલ પણ પડી શકે છે.
જ્યારે ગેરસમજ થઈ હોય એવું લાગે તો તરત જ તેનું નિવારણ લાવવા પ્રયત્ન કરવો જોઈએ જેથી તેનો ઉકેલ તરત લાવી શકાય અને વધુ ગેરસમજ ન થાય ને જે સમસ્યા ઉભી થઈ હોય તેનો નિવેડો લાવી શકાય.
માનવી પોતે સમજવામાં ભૂલ કરે અને મનમાં ને મનમાં વિચારોનાં વમળમાં ફસાઈને કોઈના માટે મંથિ બાંધે તો તે માનવી પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે . જો પોતાને લાગે કે કોઈક ગેરસમજ ઉભી થઈ છે તો તરત જ તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ , મનમાં ને મનમાં ગેરસમજ રહેવા દેતા મતભેદ થાય છે જે અંતે મનભેદમાં પરિણમે છે .
જ્યારે ગેરસમજ દૂર નહિ કરાય ત્યારે વહેમનો કીડો મનમાં સળવળે છે. જેવી રીતે અલસરનો અકસીર ઈલાજ ન થાય તો કેન્સરનો રોગ ઉદ્ભવે છે તેવી જ રીતે ગેરસમજ દૂર ન થાય ત્યારે મનમાં ઉધઈરૂપી શંકાનું ઘર બની જાય છે તેથી ગેરસમજની ચોખવટ તરત કરી દેવી જે ઈએ.
ગમે તેની જોડે ગમે ત્યારે ગેરસમજ થઈ શકે છે ત્યારે નિખાલસતાથી તે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ જેથી સંબંધ જળવાઈ રહે છે . શંકાશીલ સ્વભાવ ગેરસમજ વધારવામાં કારણભૂત બને છે . ગેરસમજ દૂર ન કરાતા પોતે કંઈક ગુમાવતો રહે છે જેથી ગેરસમજ થતા જે સમજાવટ કરવામાં આવે તો તેનું નિવારણ થઈ જાય છે.
ગેરસમજને દૂર કરવાથી નિરાશા કદી આવતી નથી .

No comments:
Post a Comment